Gir Somnath

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમી ઓરમાયું વર્તન..

વિશ્વ વિખ્યાત શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે વિશ્વભર માંથી શ્રદ્ધાળુંઓ આવે છે. રેલ વિભાગ દ્વારા જે તે સમયે આયોજન વગર નુ નિર્માણ કરી સ્ટેશન શરૂ કરી દીધું હતું.સમય જતાં ચાર -પાંચ વર્ષ માં જ રેલ વિભાગ ને પોતાની ભૂલ નુ ભાન થયું હોય,

તેમ સોમનાથ રેલ્વે સ્ટેશન પુનઃ નિર્માણ નુ કાર્ય વર્ષ 2022 23 માં ચાલુ કર્યું, અને કામ પૂર્ણ કરવા ની અવધિ માર્ચ 2025 માં કાર્ય પૂર્ણ કરવા ટેન્ડર અપાયા. રેલ ઉપભોકતા પ્રતિનિધિ રાજુ કાનાબાર એ પશ્ચિમ ઝોન ના જનરલ મેનેજર અશોક મિશ્રા સાથે સોમનાથ સ્ટેશન ખાતે વર્ષ 2025 માં શુભેચ્છા મુલાકાત દરમ્યાન, સોમનાથ સ્ટેશન નુ કાર્ય ક્યારે પૂર્ણ થશે?

તેવા પ્રશ્ન ના જવાબ માં, ત્રણ મહિના માં કાર્ય પૂર્ણ કરી આપીશું તેવું કહેલ હતું. ખરેખર ત્યારે હજુ સ્ટેશન ના પાયા નંખાતા હતાં. એ પછી તો પશ્ચિમ ઝોન ના ત્રણ જનરલ મેનેજર અને ભાવનગર મંડલ ના ત્રણ વિભાગીય મેનેજર બદલી ગયા, પણ હજુ કાર્ય પૂર્ણ નથી થયું. કોઈપણ નવા મેનેજર સોમનાથ દર્શનાર્થે આવે તે સોમનાથ સ્ટેશન ના કાર્ય તપાસ ના બહાના હેઠળ આવી, અને જલ્દી થી કાર્ય પૂર્ણ કરવાની તાકીદ આપે,

અને ઇન્સપેક્શન નો ડોળ કરી ફોટા પડાવી ને જતા રહે, અને વિભાગીય અધિકારી સોશિયલ મીડિયા માં ફોટા અપલોડ કરી, વાહ.. વાહ કરે. જ્યાં સુધી સોમનાથ સ્ટેશન નુ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી નવી કોઈ ટ્રેન મળે નહીં, એવીજ રીતે વેરાવળ સોમનાથ વચ્ચે બે ફાટકો આવે છે. જે ટ્રાફિક માટે માથા નો દુખાવો છે.

એ કાર્ય પણ ઠપ થઈ ને પડ્યું છે. લોકો છેલ્લા પાંચ વર્ષ થી પરેશાન છે. પણ કોઈ પૂછવા વાળું નથી. ઉપ ભોકતા પ્રતિનિધિ રાજુ કાનાબાર એ બે દિવસ પહેલા જ ભાવનગર વાણિજ્ય વિભાગ ના વરિષ્ઠ રેલ પ્રબંધક અતુલ ત્રિપાઠી સાથે ટેલિફોન પર વિગતે ચર્ચા કરતાં, ત્રિપાઠી એ એવું જણાવ્યું કે, હજુ સોમનાથ સ્ટેશન માર્ચ ’27 સુધી માં કાર્ય પૂર્ણ થાય તેવી શક્યતા છે. બાહેંધરી નથી આપતો,

ફાટકો ના કાર્ય વિશે કોઈ ચોક્કસ સમય નહીં આપું.એટલે સૌરાષ્ટ્ર ના યાત્રીઓ સાથે કાયમી રેલ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન કરવા માં આવે છે. વેરાવળ સ્ટેશન પર એક નવો ટ્રેક નાખવા તેમજ મીટરગેજ ને તાલાળા ખાતે શિફ્ટ કરવા ની બહુ જૂની માંગણી નો તો કોઈ જવાબ જ નથી.લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હાલ વેરાવળ માં ત્રણ ફાટકો કા કામ છેલ્લા પાંચ વર્ષ થી ચાલે છે. આજુ બાજુ ની સોસાયટી માં વરસાદ ના પાણી ભરાય જવા થી લોકો પરેશાન છે. હલન ચલન ના રસ્તા બંધ છે. પણ રે વિભાગ ના પેટ નુ પાણી પણ હલતું નથી. અને રાજકીય આગેવાનો ફોટા અને સોશિયલ મીડિયા માં રીલ બનાવવા માં મસ્ત છે.

રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *