Breaking NewsLatest

ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લા મહિલા અધ્યક્ષ સામાજિક અગ્રણી નીતાબેન પંડ્યાએ તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો

મહેસાણા
ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ ખાનગી શાળામાંથી દેલા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતાં સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
નીતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત તેમજ તેમને મળતા પગારના અભાવે શિક્ષણ સ્તર કથળતું જાય છે ત્યારે તેની સામે રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુ્કત શિક્ષણ મળી રહ્યું છે.વાલીઓમાં પણ ખાનગી શાળાઓમાંથી મોહભંગ થઇ રહ્યો છે.
નીતાબેન પંડ્યાએ ઉમેર્યું હતું કે સરકારી શાળામાં શિક્ષકોની લાયકાતની ઉચ્ચ ગુણવત્તા અને શિક્ષણપ્રમે થકી બાળકોને ઉજજ્વળ ભવિષ્ય આપવાની પ્રબળ ઇચ્છા થકી આજે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સરકારી શિક્ષણનું મહત્વ વધી ગયું છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓમાં વધતી જતી ફી ને પણ સામાન્ય માનવી વહન કરી શકતો નથી
સરકારી પ્રાથમિક શાળામાં હવે માત્ર ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો જ નહિ પરંતુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વાલીઓના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે.આ બાળકોને ખાનગી શાળા કરતાં પણ ઉત્તમ શિક્ષણ,વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ સહિત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો અસમાન્ય વિકાસ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ભારતીય તિબ્બત સહયોગ મંચ ઇન્દ્રેશ કુમાર અને પંકજ ગોયલના નેતૃત્વમાં તિબ્બતની આઝાદી,કૈલાસ માનસરોવર મુક્તિ,ચીન ઉત્પાદનનો બહિષ્કાર સહિત ભારતની સુરક્ષા માટે કાર્ય કરે છે.

ભારતીય તિબ્બત સહયોગ મંચ મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ તેમના બંન્ને બાળકો જયદત્ત અને આરૂષીને દેલા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવી સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો જોવા મળ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *