Breaking NewsLatest

” ઈસુદાંનભાઈ ગઢવી અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા “

(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત જગતજનની મા અંબાનું મંદિર અંબાજી, ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી મંદિર બે મહિના બંદ રહ્યા બાદ 12 જૂન ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે વીટીવી ન્યૂઝ ચેનલ ના પૂર્વ ચેનલ હેડ ઈસુદાંન ગઢવી આજે બપોરે અંબાજી મંદિર ના દર્શન કરવા આવ્યા હતા.
ગુજરાતનાં ખેડૂતો થી લઈને તમામ લોકોનો અવાજ બનેલા ઇસુદાન ગઢવી રોજ રાત્રે આઠ વાગે મહામંથન કાર્યક્રમમાં ગુજરાત ના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ સારી રીતે ઉઠાવતા હતા અને થોડા જ દિવસો અગાઉ ઈસુદાન ગઢવી vtv ન્યુઝ ચેનલ માંથી રાજીનામું આપ્યું હતું અને ગુજરાતમાં ચાલતી ચર્ચા મુજબ તેઓ 14 જૂનના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાશે ,પરંતુ હજી સુધી આ બાબતે ઈસુદાન ગઢવી કંઈ પણ કહ્યું નથી, આજે બપોરે અઢી વાગે ઈશુદાન ગઢવી અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા.

@@ ઈસુદાંનભાઈ ને મોટુ પદ મળી શકે છે @@

ગુજરાતના અવાજ બનેલા ઈસુદાન ગઢવી ઘરે-ઘરે જાણીતા બન્યા છે ત્યારે vtv ન્યૂઝ ચેનલમાં ઘણા વર્ષો સુધી કામગીરી કર્યા બાદ લોકો તેમના કામના વખાણ કરતા હતા અને અચાનક થોડા દિવસ અગાઉ તેમને vtv ન્યુઝ ચેનલ માંથી રાજીનામું આપ્યું હતું અને ટૂંક સમયમાં કોઈ નવા લક્ષ્ય સાથે જોડાવા ની જાણકારી આપવાની પણ વાત કરી હતી, અંબાજી યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ ગઢવી સાથે ઇસુદાન ગઢવી એ સૌજન્ય મુલાકાત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *