Breaking NewsLatest

યુવા સેના અમદાવાદ શહેર દ્વારા ડૉક્ટર્સ ડે નિમિત્તે તમામ ડૉક્ટર્સનો વંદનસહ આભાર પ્રગટ કરવામાં આવ્યો.

અમદાવાદ: આમ તો આ દિવસે દર વર્ષે આપણે ડૉક્ટર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ છે, પણ આ વખતે વિશેષ આભાર એટલા માટે પણ માનવો જોઈએ, કારણ કે, કોરોનાની સ્થિતિમાં તેમણે કરેલી કામગીરી વંદનીય છે.

યુવા સેના અમદાવાદ શહેર દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે કોરોનાની મહામારી માં દરેક ડોક્ટરોએ ખૂબ જ સેવાકીય કામગીરી કરી તે બદલ સોલા સિવિલ ખાતે દરેક ડોક્ટર્સને ગુલાબ નું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું.
ડૉક્ટરોએ પોતાનાં પ્રાણની પરવા કર્યાં વગર લોકોની સારવાર-સેવા કરી, અગવડો વેઠી ને પણ આઠને બદલે સોળ-સોળ કલાક ડ્યૂટી કરી છે.


40-45 ડીગ્રી તાપમાનમાં PPE કિટ પહેરી ને ફરજ બજાવવાનું કામ સરળ નથી, ડૉક્ટર્સનો સાથ-સહકાર, સથવારો ન હોત તો આજે ગુજરાત મુશ્કેલીમાં હોત. કોરોનામાં પોતાનો જીવ જોખમમાં મૂકી ને પણ ફરજ નહિ ચૂકેલા ગુજરાતનાં અને જગતનાં તમામ તબીબોને અમે વંદન કરીએ છીએ.”

સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરશ્રી પિનાબેન સોની , આર.એમ.ઓ ડોક્ટરશ્રી પ્રદીપ પટેલ, સોલા સીવીલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટરશ્રી નીતિનભાઈ વોરા સાહેબ અને જુદા જુદા ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં યુવા સેના ગુજરાત પ્રદેશ માંથી રવિશ રામચંદાની, યુવા સેના અમદાવાદ જિલ્લા માંથી આશકાબેન પટેલ, અમીબેન બિહોલા, મનોજભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *