Breaking NewsLatest

યાત્રાધામ અંબાજીમાં શરૂ કરાયેલ સદાવ્રતને અભૂતપૂર્વ પ્રતિસાદ: એક મહિનામાં ૧.૫૧ લાખ માઇભક્તોએ વિનામૂલ્યે ભોજનપ્રસાદનો લાભ લીધો

(અમિત પટેલ.અંબાજી)
(માહિતી બ્યુરો પાલનપુર)
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા.૧૪/૬/૨૦૨૧ થી શરુ કરાયેલ સદાવ્રત (વિનામુલ્યે ભોજન)ને યાત્રિકો તેમજ અંબાજી ગ્રામજનો દ્વારા અત્યંત આવકારદાયક અને ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળી રહ્યો છે .


કલેકટરશ્રી આનંદ પટેલના ઐતિહાસિક નિર્ણયથી યાત્રાધામ અંબાજી ખાતે તા.૧૪/૬/૨૦૨૧ના રોજ જય જલિયાણ ફાઊન્ડેશન દ્વારા સદાવ્રત શરુ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત શરું થવાથી અંબાજીમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તથા અંબાજીના ગ્રામજનો ખુબ જ સારી રીતે માતાજીના આશીર્વાદ સમાન ભોજનનો લાભ લઇ રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ, વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ.જે.ચાવડા તથા જય જલિયાણ સદાવ્રતના સભ્યો દ્વારા આજે અંબિકા ભોજનાલયમાં ખુબ સારી રીતે ચાલી રહેલ સદાવ્રત અંગે અંબિકા ભોજનાલય ખાતે મુલાકાત કરવામાં આવી હતી તથા જરૂરી સુચન અને આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંબિકા ભોજનાલય ખાતે દરરરોજ સરેરાશ ૫૦૦૦ જેટલા ભાવિકો સદાવ્રતમાં વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે. તા.૧૪/૬/૨૦૨૧ થી તા.૧૭/૭/૨૦૨૧ સુધીમાં ૧,૫૧,૫૧૭ (એક લાખ એકાવન હજાર પાંચસો સત્તર) જેટલા ભક્તોએ સદાવ્રતમાં માં અબેના આશીર્વાદ સમાન ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અંબાજીમાં આવનાર યાત્રિકો તેમજ સમસ્ત અંબાજી નગરના રહેવાસીઓ દ્વારા આ સદાવ્રતને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અંબાજીમાં પધારતા યાત્રિકો તેમજ ગ્રામજનોમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરી રહી છે . શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા યાત્રાળુઓ માટે તથા ગ્રામજનો માટે દિન –પ્રતિદિન ખુબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. આપ સૌ એ સમાજ સેવાના આ ભગીરથ કાર્યમાં આપેલ સહકારને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે.


વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. જેથી આપણે સૌ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીએ તથા માસ્ક અવશ્ય પહેરીએ, બિન જરૂરી ઘરની બહાર ન નીકળીએ તેમજ વેક્સીન પણ અવશ્ય લઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *