Breaking NewsLatest

ઉમરાળાના જાંજમેર ગામના યુવાનને પરિવાર જનો દ્વારા રક્તદાન કેમ્પ યોજી રક્તાંજલી અપાઈ

આહીર સમાજે દિકરાની ઉતરક્રિયાના દિવસે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે 40 બોટલ રક્ત એકત્રિત કર્યું

ઉમરાળા તાલુકાના ધોળા નજીકના જાંજમેર ગામના યુવાન સાગરભાઈ મેઘાભાઈ ચાવડા તા.20,7,2021ના રોજ પોતાના ગામ જાંજમેર થી બાઈક પર ધોળા જંકશન જઈ રહ્યા હતા ત્યારે અચાનક રેઢિયાળ પશુ આડુ ઉતરતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સાગરભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ સાગરભાઈએ દેહ છોડી દીધો હતો આહીર સમાજ અને ચાવડા પરિવાર ઉપર કુદરતે કોપ વેર્યો દુઃખ ભર્યા દિવસોમાં ચાવડા પરિવારે ઉતરક્રિયાના દિવસે આજે તા.31,7,2021 રોજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સહિતના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજી 40 બોટલ રક્ત એકત્રિત કરી પોતાના દીકરાને રકતાંજલી અર્પણ કરી

તાલુકા ભરના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ ઉપર રેઢિયાળ પશુઓ અને રોઝડા ઓનો ખૂબ ત્રાસ છે અને અનેક નિર્દોષનો ભોગ લેવાઈ છે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ ઉઠી રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *