Latest

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
પંચમહાલ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) ના સહયોગથી યોજાયેલ આ સેમિનારનો મુખ્ય વિષય “બાગાયત ક્ષેત્રના વિકાસ અને નિકાસ સંભાવનાઓ” હતો.

આ કાર્યક્રમ જાંબુઘોડા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સીલેન્સ ઓફ હોર્ટિકલ્ચર’ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સેમિનારમાં ખેડૂતો અને ઉદ્યોગકારોને ફળ, ફૂલ અને શાકભાજીના પાકોની ગુણવત્તા જાળવવા, આંતરરાષ્ટ્રીય બજાર માટે પેકિંગ અને માર્કેટ લિંકેજ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે APEDA માંથી સુબોધ શાહ અને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ના દિપક કોઠાણી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિકાસની પ્રક્રિયા, ગુણવત્તા પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *