ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી થય છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર પોતાના એકના એક પુત્રની સારવારના ખર્ચેને લઈ ચિંતિત બન્યા છે. જેથી વિવાનના પિતા અશોકભાઈ વાઢેર દ્વારા સામાજીક સંસ્થા અને સરકાર તથા લોકોને મદદ કરવા હાથ લંબાવી મદદ માંગી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં મદદ માટે લોકો આગળ આવી દાનની સરવાણી વરસાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. છતાંય પણ ૧૬ કરોડની રકમ ભેગી કરવામાં ખૂબજ લાંબો સમય જાય તેમ હોય અમદાવાદ પશ્ચિમ ના પ્રજાલક્ષી સાંસદ ડોક્ટર શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ શ્રી એ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાસંદ શ્રી જુનાગઢ, કોડીનાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી અને કચ્છ- મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની રજુઆત ના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા જી ને આજે વિવાન વાઢેર ને એઈમસ દિલ્હીમાં દાખલ કરીને તમામ રીતે મદદરૂપ થવા માટે રજૂઆત કરી હતી.જેના પ્રત્યુતર મા આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જી એ સરકાર દ્વારા પરિવાર ને કોઈ આર્થિક બોજ ના પડે તે માટે મદદરૂપ થવા માટે યોગ્ય રસ્તો કરવા ની ખાતરી આપી હતી
વિવાનની વહારે સાંસદ: વિવાન વાઢેરને દિલ્હી એમ્સમાં દાખલ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી.
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…