Ahmedabad

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરાએ અમદાવાદમાં નવજીવન માર્ટનું કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં એક મોલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત બૉલીવુડ અભિનેત્રી કાયનાત અરોરા ગુજરાત પહોંચી હતી અને અમદાવાદની મહેમાનગતિ માણી હતી.

અમદાવાદના સન ગ્રેવીટ વેજલપુર ખાતે સુરેશભાઈ મકવાણા દ્વારા લોકોને જીવન જરૂરી તમામ ઘર સામગ્રી એક છત હેઠળ મળી રહે તે માટેના નવજીવન માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી

અને આ માર્ટનું તેણે ઉદ્ઘાટન કરતા લોકો માટે ખુલ્લો મુક્યો હતો. અભિનેત્રી કાયનાતને એક નજર જોવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી.

કાયનાત ત્રીજીવાર ગુજરાતની મહેમાન બની હતી અને તેણે આ ગુજરાતના લોકો અને તેમની મહેમાનગતિને વખાણી હતી અને ઉપસ્થિત તમામ લોકો અને તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સુરેશભાઈ મકવાણા સ્થાપક, હેત રાઠોડ, તેમજ શો સેલેબ્સ કંપનીના નિકુંજ દવે, યુવરાજ રઘુવંશી અને આકાશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર ઈવેન્ટનું સંચાલન શો સેેલેબ્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નવજીવન માર્ટના સ્થાપક સુરેશ ભાઈ મકવાણા એ પણ તમામ ઉપસ્થિત મીડિયાનો આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ…

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *