bhavnagar

જીવદયા માટે જાગૃતિ : પક્ષીઓની જિંદગી પંતગની દોરીથી કપાય ન જાય તે જોજો

પક્ષીઓની જિંદગી બચવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર આ અભિયાન

(ભાવનગર તા.8/1/2025)
ઉત્તરાયણ નજીક આવી રહી છે. 14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.

દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી સોશિયલ મીડિયા મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.

જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *