Latest

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જઇ બીએલઓની કામગીરી સોંપવામાં નાં આવે તેવી માંગ સાથે લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી.

લીંબડી તાલુકા ઘટકના મનીષાબેન પ્રજાપતિ, મધુબેન દેવથલા, દુગાબેન ડાભી, ગીતાબેન કઠેકિયા, ગુનીબેન જાદવ, ઇલાબેન જાદવ, કવિતાબેન ગોસ્વામી, કોમલબા ઝાલા, જ્યોત્સના બેન ચૌહાણ સહિતના આંગણવાડીની કાર્યકરો બહેનોએ લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિત રજૂઆત જણાવ્યું હતું કે અમો આઇસીડીએસ ભારત સરકારની ફ્લેગશીપ યોજના પકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ. આ યોજનામાં 7 વર્ષથી નાના બાળકોને 3થી 6 વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ 3થી6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે.

હાલમાં અમોને બીએલઓની કામગીરી સોંપાઇ છે તે અમે કરી શકીએ તેમ નથી! અમારી ઘણી બહેનોનુ ભણતર 7 સુધીનું જ હોવાથી આ કામમાં અમોને ઘણી બધી મુશ્કેલી થાય છે. આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરીએ છીએ હંગામી હોવા છતાં બીએલઓની કામથી ભારણ વધે છે. એક તરફ કાયમી કરવા સામે ઓરમાયુ વર્તન કરાય છે. બીજી તરફ કામગીરી વધતી જાય છે. તેવું આંગણવાડી બહનોએ મૌખિક રજૂઆત કરી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *