bhavnagar

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં જેનો બહુમૂલ્ય ફાળો છે તેવી BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ હરી મહંત સ્વામી મહારાજ નો 92 મો જન્મ જયંતી મહોત્સવ અટલાદરા- વડોદરા ખાતે અત્યંત ભવ્યતાથી ગત 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાયેલો હતો,

જેમાં 15, 666 જેટલા 3 વર્ષથી 13 વર્ષ ની ઉંમર ધરાવતા બાલ બાલિકા દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાવેલ અને સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા નું નામ રોશન કરેલ છે તેમાં મહુવા ઉના, રાજુલા ના 62 જેટલા બાલ વિદ્વાનોએ આ મુખપાઠ કરેલ હતોજેમાં  મહુવા શહેરના 19 બાલ તથા 16 બાલિકા મળીને કુલ 35 બાળ વિદ્વાનો નો અભિવાદન સમારોહ આજરોજ રવિવારની સભા દરમિયાન કરવામાં આવેલ .

આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મહુવા શહેરના ડે.કલેકટર શ્રી રવિયા સાહેબ, ટીડીઓ શ્રી ગોસ્વામી સાહેબ, અને પારેખ કોલેજ પ્રો. હરેશભાઈ કોઠારી ની ઉપસ્થિતિ માં આ બાળકો તથા બાળ કાર્યકરોનું સન્માન કરવામાં આવેલ,

મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના બાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગત તારીખ 3 ફેબ્રુઆરી ના રોજ ભાવનગર, અમરેલી, મહુવા તથા ધારીના સંતો – મહંતો ની હાજરીમાં ભવ્યતાથી મંદિરનો  12 મો પાટોત્સવ વિધિ સંપન્ન થયેલ , જેની ઉત્સવ સભા આજરોજ આ સમારોહ સાથે ઉજવણી કરવામાં આવેલ જેમાં આ ઉત્સવમાં સેવા કરનાર દરેક હરિભક્તોનું પણ સન્માન કરવામાં આવેલ હતું તેમજ કોઠારીશ્રી વિનમ્ર મુની સ્વામી દ્વારા પ્રાસંગિક પ્રવચન તથા આભાર વિધિ કરવામાં આવેલી તથા સમારોહના અંતે બહોળી સંખ્યામાં પધારનાર દરેક હરિભક્તો દ્વારા મહાપ્રસાદ ગ્રહણ કરવામાં આવેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *