bhavnagar

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

વોર્ડ નં. 3 માં ઐતિહાસિક બિનહરીફ જીત બાદ મતદાન પૂર્વે જ વિજય સરઘસ નીકળ્યું

નગરપાલિકા બન્યાના 21 વર્ષમાં પ્રથમ વખત આખો વોર્ડ બિનહરીફ: વિપક્ષના સુપડા સાફ

શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારના નેતૃત્વમાં ગઢ વધુ મજબૂત

વલભીપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા વોર્ડ નંબર 3 ની તમામ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી છે. લોકશાહીના પર્વમાં આ બેઠક પર વિરોધ પક્ષોના મૌન અને ભાજપના મજબૂત સંગઠન વચ્ચે આ એક એવી સિદ્ધિ છે જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. મતદાન પૂર્વે જ કોઈ એક વોર્ડની આખી પેનલ બિનહરીફ થઈ હોય અને તેનું વિજય સરઘસ નીકળ્યું હોય તેવી વલ્લભીપુરની આ પ્રથમ ઘટના છે.

10 ઓગસ્ટ, 2005ના રોજ નગર પંચાયતમાંથી વલ્લભીપુર નગરપાલિકા બન્યા બાદ, છેલ્લા બે દાયકામાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ આખો વોર્ડ બિનહરીફ થયો હોય. ‘રાજપુત શેરી’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સીમાબેન હિરેનગીરી ગોસાઈ, નીધલબા વિશ્વરાજસિંહ પરમાર, સંજયકુમાર હરજીવનભાઈ ભલાણી અને દિપકકુમાર લાભુભાઈ સોલંકી સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારે મેદાનમાં ઉતરવાની હિંમત દાખવી નથી. ફોર્મ ખેંચવાના અંતિમ તબક્કે આપના એક માત્ર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ વોર્ડમાં તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સરઘસ નીકળ્યું હતું, જેમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિય કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ વોર્ડ વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારનો હોવાથી આ વિજય તેમના રાજકીય કદ અને સંગઠન શક્તિમાં મોટો ઉછાળો લાવનારો સાબિત થયો છે. ભાજપ સંગઠન દ્વારા આ અપ્રતિમ સફળતા બદલ નામદેવસિંહ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે ભાજપના વધતા પ્રભાવે વિપક્ષોને અત્યારથી જ વિચારતા કરી દીધા છે.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *