bhavnagar

શ્રી કારડીયા રાજપૂત સમાજ આયોજિત ક્ષત્રિયતેજસ્વી તારલાઓના ઈનામ વિતરણ કાર્યક્રમ અને વલભીપુર તાલુકાના વતની એવા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા યુવક યુવતીઓના સન્માન સમારોહમાં

મુખ્ય મહેમાન અભયસિંહ ચુડાસમા અધિક પોલીસ મહાનિર્દેશક ડીજીપી ગાંધીનગર અને વિશેષ અતિથિ ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું ઈનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને સમાજની બાળાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી.

હરેશભાઈ ચૌહાણ દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું. ધોરણ 1 થી 7 ના બાળકોને પ્રોત્સાહક ઈનામ તથા ધોરણ 8 થી 12ના પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

અંદાજિત 700 વિદ્યાર્થીઓ ને સ્કૂલબેગ અને નોટબુક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ વિદ્યાર્થી ઈનામ વિતરણ કાર્યક્રમમાં વલભીપુર તાલુકાના 26 જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. અભ્યાસ સિવાય રમત અને સંગીત ક્ષેત્રે વિશેષ પ્રતિભા દાખવેલ બાળકોનું પણ સન્માન કરવામાં

આવેલ.આ સમારોહમાં ભાવનગર કારડીયા રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ નારણભાઇ મોરીએ સમાજના ભવન વિશે વાત કરેલ.સુરેન્દ્રનગર જીઆરસીએ ના વિક્રમસિંહ પરમાર એ વક્તવ્ય આપેલું તથા વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભરતીઓમાં ભાગ લે એવું કહેલ ધારાસભ્યશ્રી કિરીટસિંહ ડાભી એ પોતાના વક્તવ્યમાં શિક્ષણ ઉપર ભાર મુકેલો તથા વધુ યુવાનો નોકરી મેળવે તેવા પ્રયત્નો કરવા જણાવેલ.

અભયસિંહ ચુડાસમા સાહેબે પોતાના વક્તવ્યમાં દરેક જિલ્લામાં તથા તાલુકામાં પણ જીઆરસી એ બને તેના પર ભાર મુકેલ સમાજમાં કોઈપણ જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષણ માટે હું કાયમ માટે તત્પર છું તેઓ સંદેશો આપેલ. આ એના વિતરણમાં મુખ્ય દાતા તરીકે જયરાજસિંહ પ્રેમજીભાઈ સોલંકી હતા તથા આ કાર્યક્રમ મુન્નાભાઈ ચાવડાના ફક્કડનાથ ઇન્ડસ્ટ્રીઝમાં યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો, યુવાનો ભાઈઓ બહેનો તથા માતાઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તસ્વીર ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *