bhavnagar

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

સિહોરના અમરગઢ ગામે આવેલ સુપ્રસિદ્ધ કે.જે.મહેતા ટીબી હોસ્પિટલના કેપ્સમાં આવેલ કે.જે.મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કૉલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ, ખાતે જે Dental Council of India દ્વારા માન્યતા પ્રાપ્ત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન “International Oral & Maxillofacial Surgeons Day” ની ઉજવણી નિમિત્તે વિવિધ સામાજિક અને જાગૃતિ મૂલક કાર્યક્રમો યોજાયા હતા

આ દિવસની ઉજવણીના અનુસંધાને સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં કે.જે. મહેતા જનરલ હોસ્પિટલ ખાતે હેપેટાઇટિસ બી રસીકરણ અભિયાન તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓ,સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક 61 બોટલ એકત્રિત કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ અને વિદ્યાર્થીઓએ “TMJ Disorders Stress Connection & Management Strategies” માટે સ્પર્ધાઓ અને વર્કશોપનું સોશિયલ મીડિયા રીલ અને 3D મોડલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું,

જેમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજણ રજૂ કરી હતી અને “TMJ Disorders Stress Connection & Management Strategies” વિષય પર વિશેષ વર્કશોપ યોજાયો,જેમાં ઓરલ સર્જન,પ્રોસ્ટોડોન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને સાઈકિએટ્રિસ્ટ દ્વારા મલ્ટિડિસીપ્લિનરી અભિગમ પર માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા મુખ્ય હેતુ ટેમ્પોરોમેન્ડિબ્યુલર જ્વાઈન્ટ (TMJ) સંબંધિત તકલીફોમાં તણાવની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ અને ક્રીનોટ સ્પીકર ડો.પંકજાક્ષી બાઈ કે,વર્કશોપ ગેસ્ટ સ્પીકર ડો.પ્રથમેશ શાહ ડો.પ્રતીક ભટ્ટનાગર,ડો.સુનિલ પરમાર,ડો.સત્યજીતસિંહ જાડેજા, ડો.સંદીપ પંડ્યા,અને રેડક્રોસ સોસાયટી ભાવનગર તથા તમામ વિભાગના પ્રોફેસર,ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ સેવાભાવી કાર્યો દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

વીર દેવાયત બાપાના શૌર્યને સલામ માયધારમાં ઇતિહાસ જીવંત બન્યો માયધાર ગામે ગૌરવનો…

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ,…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *