bhavnagar

જીવદયા સેવા માટે પ્રેરણા ફાઉન્ડેશન ટીમને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બિરદાવી

ભાવનગર ખાતે જીવદયા સેવાને બિરદાવવામાં આવી હતી. ભારત સરકારના યુવા બાબત અને રમતગમત કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા એ અબોલ જીવ બચાવવાના મહા અભિયાન માટે પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમને રૂબરૂ મળીને ખાસ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

ઉત્તરાયણ દરમિયાન 10 દિવસ ભાવનગર શહેર જિલ્લામાં 100થી વધુ ભાઈ બહેનો પક્ષીઓના જીવ બચાવવા સેવા આપશે તેની માહિતી મંત્રીશ્રી એ મેળવી હતી. મંત્રી શ્રી ડૉ. માંડવિયા એ જણાવ્યું હતું કે જીવદયા એ શ્રેષ્ઠ સેવા છે. અબોલ જીવને પણ જીવવાનો અધિકાર છે. ત્યારે તેમના બચાવ માટે કરતા આ સેવાકિય પ્રયાસો અભિનંદનને પાત્ર છે. અને ગૌરવ સમાન છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *