bhavnagar

જીવદયા સેવા માટે પ્રેરણા ફાઉન્ડેશન ટીમને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બિરદાવી

ભાવનગર ખાતે જીવદયા સેવાને બિરદાવવામાં આવી હતી. ભારત સરકારના યુવા બાબત અને રમતગમત કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા એ અબોલ જીવ બચાવવાના મહા અભિયાન માટે પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમને રૂબરૂ મળીને ખાસ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

ઉત્તરાયણ દરમિયાન 10 દિવસ ભાવનગર શહેર જિલ્લામાં 100થી વધુ ભાઈ બહેનો પક્ષીઓના જીવ બચાવવા સેવા આપશે તેની માહિતી મંત્રીશ્રી એ મેળવી હતી. મંત્રી શ્રી ડૉ. માંડવિયા એ જણાવ્યું હતું કે જીવદયા એ શ્રેષ્ઠ સેવા છે. અબોલ જીવને પણ જીવવાનો અધિકાર છે. ત્યારે તેમના બચાવ માટે કરતા આ સેવાકિય પ્રયાસો અભિનંદનને પાત્ર છે. અને ગૌરવ સમાન છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *