bhavnagar

જુલેલાલ સાહેબની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી પાલીતાણાના સિંધી સમાજ દ્વારા કરવામાં આવી

પાલીતાણા ના ગારીયાધાર રોડ પર આવેલ ઉડેરો ધામ ખાતે દર વર્ષની પરંપરાગત જુલેલાલ સાહેબની જન્મ જયંતીની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામા આવી

જેમા સવારથી ઉડેરો ધામ ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના અને દર્શન માટે ઝૂલેલાલ મંદિરમા ઉમટી પડ્યા હતા અને સિંધી સમાજ દ્વારા સવારથી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સવારે ૧૦ કલાકે જુલેલાલ મંદિરથી ભવ્ય શોભયાત્રા પણ કાઢવામાં આવી અને આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી શરૂ કરી બાયપાસ રોડ , બાપા સીતારામ ચોક , બસ સ્ટેન્ડ રોડ , ભૈરવનાથ ચોક , મેઈન બજાર , તળેટી રોડ થઇને , ઝૂલેલાલ મંદિરમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી

જેમા જુલેલાલ સાહેબની શોભા યાત્રાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પ્રસાદીનું અને ઠંડા પાણી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સાંજના મહા આરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે પાલીતાણાના સિંધી સમાજના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

કુળદેવી અને માતાશ્રીના આશીર્વાદ સાથે હાલારની દીકરી ગણાતા પૂનમબેન માડમએ ઉમેદવારીપત્ર ભર્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી…

પાલીતાણા તાલુકાના માલપરાથી તળાજા ને જોડતો બાયપાસ માર્ગ ની સર્વેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *