bhavnagar

નર્મદા કેનાલમાં ૩૧ માર્ચનાં પાણી બંધ કરવાની જાહેરાતનાં પગલે ખેડૂતો લાલઘૂમ

૧૫ એપ્રિલ સુધી કેનાલમાં પાણી આપો – ખેડૂતોઓટોમોબાઈલ કંપનીઓમાં બારેમાસ પાણી અપાય છે, તો જગતતાતને ૧૫ દિવસ વધુ કેમ નહીં. ઉનાળું ઘસચારાને માત્ર બે પિયતની જરૂર હોઈ પાણી આપવા ખેડૂતોની માંગ સરદાર સરોવરમાં ઉનાળું સીઝન સિંચાઈ અર્થે પાણી અપાય એટલો જથ્થો છતાં જગતતાત સાથે અન્યાય કેમ….??

બહુચરાજી, ચાણસ્મા સહિત પંથક મોટાભાગે પશુપાલન અને ખેતીવાડી પર નભતો હોઈ નર્મદા કેનાલનાં પાણીથી સિંચાઈ થાય છે. જયારે નર્મદા વિભાગનાં ૩૧ માર્ચે પાણી બંધ કરવાની જાહેરાતનાં પગલે ખેડૂતો જગતમાં નારાજગી પ્રસરી છે. વિસ્તારમાં પશુપાલન વધુ હોઈ ઘાસચારાનું વાવેતર વધુ થયું છે.

જેને હવે ૨ પિયતની જરૂરિયાત છે, જો નર્મદા વિભાગ દ્વારા ૧૫ દિવસ પાણી વધુ આપવામાં આવે તો કૃષિક્ષેત્રે ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. આગામી ચાલુ વર્ષે જગતતાતને વાવાઝોડા સહીત કમોસમી માવઠાનાં કારણે ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું.જયારે હાલમાં પાણી બંધ થાય તો ઉનાળું ઘસચારાનું વાવેતરમાં ઉભું સુકાઈ જવાની નોબત આવશે,જેથી જગતતાતને ઉભા વરહનું નુકશાન વેઠવું પડશે,

ઈન્દ્રપ ગામના ખેડૂત રાજુભાઈ રબારીએ જણાવ્યું હતું કે કે ઉનાળું ઘસચારાને માત્ર બે જ પિયતની જરૂર છે.નર્મદા કેનાલમાં ૧૫ દિવસ વધુ પાણી અપાય તો ઉનાળું ભર પશુઓનાં ઘાસચારાની પંથકમાં શાંતિ થઇ જાય, જયારે કેનાલમાં પાણીનાં ભરોશે જ વાવેતર કર્યું છે.

બીજી કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, જેથી સરકારને  ૧૫ દિવસ વધુ પાણી આપે ઘણી રાહત થાય તેમ છે. ખેડૂતને ચૂંટણી સમયે કઈ અપેક્ષા રાખતો નથી પણ સરકાર ખેડૂ સામે જોઈ રાહત થાય તેવો ન્યાય કરે એવી માંગ કરું છું…

આ અંગે ચાણસ્મા નર્મદા વિભાગ કચેરીનાં જણાવ્યા અનુસાર હાલમાં સરકારની સૂચના મુજબ નર્મદા કેનાલનો પાણી પુરવઠો ૩૧ માર્ચે બંધ કરવામાં આવનાર છે. વધુ મુદત માટે પાણી ચાલુ રાખવા ખેડૂતો તરફથી કોઈ લેખિત રજુઆત મળેલ નથી.જો રજુઆત આવશે તો આ અંગે વડી કચેરીને રજુઆત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 40

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *