bhavnagar

તળાજા તાલુકાના નવી કામરોલ ગામ બે દિવસથી સંપર્ક વિહોણું બન્યું

ઉપરવાસમાં પડેલા ધોધમાર કમોસમી વરસાદને લઈને તળાજા તાલુકાના નવી કામરોલ ગામ બે દિવસથી સંપર્ક વિહોણું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામથી પસાર થતી નદીમાં બે દિવસથી સતત પાણી વહી રહ્યું છે જોકે આવું અહીં વારંવાર બને છે અને ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવાની માંગણી છેતેમ છતાં પણ તંત્રને કે જવાબદાર નેતાઓની આંખ ઉઘડતી નથી અને ચૂંટણી ટાણે વચનો આપીને વોટ લઈ જાય છે

જેના કારણે ગામ લોકો મોટી મુસીબતમાં મુકાય છે કારણ કે નવી કામરોલ ગામની બંને બાજુ નદીઓ હોવાથી જ્યારે પણ પૂર આવે ત્યારે સીમમાં રહેલા લોકો ગામમાં આવી શકતા નથી અને પ્રાથમિક શાળા પણ સામે કાંઠે હોવાથી બાળકો પણ મુશ્કેલી માં મુકાય છે અત્યારે હાલમાં બે દિવસ થી નદીમાં ઘોડાપૂર હોવાથી ગામલોકો મૂંઝવણ માં મુકાયાં છે

અને જો કોઈ ઇમરજન્સી હોસ્પિટલ નું કામ આવે તો સારવાર ના અભાવે મૃત્યુ પણ થઈ શકે જો આવા ગંભીર પ્રશ્ને સ્થાનિક નેતાઓ અંગત રસ દાખવે તો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ચૂંટણી ટાણે ગામલોકો પરચો બતાવી શકે છે

રિપોર્ટર. વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 66

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *