bhavnagar

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાઓનુ વિતરણ કરવામાં આવ્યું

યાત્રાધામમાં પાલીતાણા માં વર્ષોથી ચાલતી જીવદયા અને માનવસેવાની પ્રવૃતિ તેમજ વિવિધ સામાજિક સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલી પાલિતાણાની શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિની ટીમ દ્વારા દર વર્ષની જેમ ઉનાળાના ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં અને ઉનાળા પ્રારભે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનો વિતરણનો કાર્યક્રમ તા/01/04/2025 ના સવારે ભૈરવનાથ ચોકમાં આમંત્રિત મહેમાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમા યોજાયો હતો

આ સાથે આધુનિક યુગમાં લોકો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરે તેવો સંદેશો આપવા કાર્યક્રમ સાથે વધુમાં પાલીતાણા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રઝળતા અબોલ જીવોને જરૂરી જગ્યા પર પીવાના પાણીની ટાંકીઓ પણ મુકવામાં આવશે

ગૌસેવા સમિતિની પશુ સારવાર હેલ્પલાઈન નંબર ૭૩૭૩ ૧૫૪૧૫૫, પર યાદી કરવામાં આવશે

આજરોજ ૧૦૦૦ જેટલા પાણીના કુંડાઓનું તેમજ નાના પશુઓ માટૅ પીવાના પાણી નાની ટાકી નું વિતરણ ઉપસ્થિત પૂ,મુકેશગીરી બાપુ તેમજ પાલીતાણા ટાવુંન પોલીસ સ્ટેશન ના PI.કરમટા સાહેબ પાલીતાણા ના પત્રકાર મિત્રો તેમજ શાંતિભાઈ શાહ, ગૌસેવા સમિતિના કલ્પેશભાઈ પરમાર, શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિના ભરતભાઈ રાઠોડ અને કાર્યકર્તા ઓના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *