bhavnagar

વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે

ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે

તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લ્યે છે જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચુકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35% રકમ પણ ખેડતોને ચુકવવામાં આવતી નથી. ગયા વર્ષે 2024 અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ ને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે ખેડતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડુતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ UPA સરકારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના 78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડતોના દેવામાફ કરે

કોંગ્રેસ દ્વારા આયોજનપત્રમાં કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહીને મામલતદાર ને આપ્યું આવેદન પત્ર ઉપસ્થિત લવતુકા અમિતભાઈ. પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ

ભગીરથસિંહ કે ગોહિલ વલભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હેમત ડાભી વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ

અહેવાલ ધમેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *