Breaking NewsLatest

વિજયનગર ની ધોલવાણી આશ્રમશાળામાં શિક્ષકોની ભરતીમાં સાઈઠ લાખની લેતીદેતી સંદર્ભે મુખ્યમંત્રી ને રજુઆત કરતાં તપાસના ચક્રો ગતિમાન… ભષ્ટ્રાચાર કરનારા અને કરાવનારા ફફડી ઉઠ્યા

અરવલ્લી
વિજયનગર તાલુકાની કાથોડી ધોલવાણી ખાતે આવેલી આદિજાતિ વિભાગ સંચાલિત ગ્રાન્ટેબલ આશ્રમશાળામાં શિક્ષકોની ભરતીમાં સત્તાવાળાઓ આને સંચાલકો દ્વારા અંડર ટેબલ સાઈઠ.. લાખ રૂપિયા નો ભષ્ટ્રાચાર આદરી શિક્ષકોની ભરતી કરી ને સબસલામત રીતે ફાઈલો ફીટ કરી દીધી હતી.. આ ભરતીમાં અન્યાય થયેલા કેટલાક ઉમેદવારો અને જાગૃત નાગરિકો ને ભષ્ટ્રાચાર ની ગંધ આવતાં તંત્ર અને સંચાલકો પાસે આર.ટી.આઈ.દ્ગારા નિતિનિયમો પ્રમાણે ભરતી ની તમામ માહિતી અને કાર્યવાહી ની માહિતી માંગવામાં આવી હતી.પરંતુ અરજદાર ને આવોય કોઈ પ્રત્યુત્તર કે માહિતી આપવામાં આવી ન હતી.આ સંદર્ભે એક જાગૃત નાગરિકે આ તમામ હ કીકતો સંદર્ભે ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ પૂ લેખિત રજુઆત કરતાં મુખ્યમંત્રીશ્રી ના આદેશથી આને આદિજાતિ મંત્રીશ્રી ની સૂચનાથી આ તમામ ભષ્ટ્રાચાર ની તપાસ કરી તાત્કાલિક ધોરણે યોગ્ય કરી ભરતી રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની પણ કાર્યવાહી કરવા તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.સાઈઠ લાખ રૂપિયા ખંખેરી લેવાના બદલે તમામ ભષ્ટ્રાચાર માં સંચાલક ઉપરાંત ભરતી સમિતિના મોટા માથાની પણ સંડોવણી હોવાથી તમામે બચવા હવાતિયાં મારવાનાં ચાલુ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.જે હોય તે પણ સંવેદનશીલ સરકારે ભષ્ટ્રાચાર ના ભોરીગને નાથવા આને તેમાંય વિજયનગર તાલુકા જેવા પછાત વિસ્તારોમાં આશ્રમશાળાઓમા આને તેમાંય સરકારી ગ્રાન્ટ થી ચાલતી આવી સંસ્થાઓમાં ભરતી માં ચાલતા ચલાવાતા આ ભષ્ટ્રાચાર માં કોઈનેય બક્ષવામાં નહીં આવે એવું જાણીતા સામાજિક કાર્યકર મહેન્દ્રપ્રસાદ પટેલ ની રજુઆત ના પગલે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા ભષ્ટ્રાચાર આચરનારા તત્વો ફફડી ઉઠ્યા છે અને જેને નોકરી માં પૈસ આપ્યા છે એવા ઉમેદવારો અને વાલીઓ પણ ફફડી ઉઠ્યા છે..

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *