Breaking NewsLatest

અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા..

અમદાવાદ: અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, અને વચેટિયા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર ને 25 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયા છે. જેમાં મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

બનાવની વિગત જોઈએન્ટો આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડુતમાંથી બિનખેડુત કરેલ જે ફરી ખેડુત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપેલ. જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડુત કરેલ જે ફરી ખેડુત તરીકે કાયમ કરવા રૂ. 25 લાખની માંગણી કરેલ આ રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આ કામના બંને આરોપીએ એકબીજાના મેળાપીપણામાં રૂ.૨૫,૦૦,૦૦૦/- લાંચના નાણા સ્વિકારી પકડાઈ ગયા હતા. આ ટ્રેપ કે.વાય.વ્યાસ પોલીસ ઈન્સ્પેક્ટર, ફિલ્ડ-૨, એ.સી.બી., અમદાવાદ.તથા એ.સી.બી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી જેનું સુપરવિઝન જી.વી. પઢેરીયા
મદદનિશ નિયામક, એ.સી.બી.,
અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *