Latest

અનધિકૃત ઢોરવાડા સામે કડક કાર્યવાહી કરતું ગાંધીનગર મહાનગરપાલીકા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીન પર અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલ ઢોરવાડા સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે સે-૮ ખાતે સરકારી માલિકીની જગ્યામાં ઊભો કરવામાં આવેલ એક અનધિકૃત ઢોરવાડો દૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન કુલ ૧૪ પશુઓને પકડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રાયસણ ખાતે જાહેર જગ્યાએ અનધિકૃત રીતે ઘાસચારો વેચતા એક વ્યક્તિની લારી અને ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રખડતા ઢોર પકડવાની ટીમની રેકી કરતા કેટલાક પશુમાલિકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે અને અનધિકૃત ઢોરવાડાઓ અને બાંધકામોને તાત્કાલિક દૂર કરવા માટેના પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ મજબૂત બનાવવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *