bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગર ખાતે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મ્યુનિસિપાલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયે રાષ્ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્યું હતું.કે યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને.સશક્ત મતદાર-સક્ષમ મતદાર -સમર્થ મતદાર તથા જવાબદાર મતદાર બની વિવેક બુદ્ધિથી કોઈપણ જાતના ભય,લોભ ,લાલચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે

મ્યુનિસિપાલ કમિશનર શ્રી એ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું.તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચુંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
અહીં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને EVM મશીનનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રી જી.એચ.સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચોધરી સહિતનાં અધિકારીશ્રીઓ,બી.એલ.ઓ.શ્રીઓ અને વિવિધ શાળા તથા કોલેજોનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *