bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગર ખાતે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મ્યુનિસિપાલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયે રાષ્ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્યું હતું.કે યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને.સશક્ત મતદાર-સક્ષમ મતદાર -સમર્થ મતદાર તથા જવાબદાર મતદાર બની વિવેક બુદ્ધિથી કોઈપણ જાતના ભય,લોભ ,લાલચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે

મ્યુનિસિપાલ કમિશનર શ્રી એ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું.તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચુંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
અહીં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને EVM મશીનનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રી જી.એચ.સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચોધરી સહિતનાં અધિકારીશ્રીઓ,બી.એલ.ઓ.શ્રીઓ અને વિવિધ શાળા તથા કોલેજોનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *