bhavnagarEducationGujarat

ભાવનગર ખાતે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની સાથે સાથે ઈ.વી.એમ-વીવીપેટ નિદર્શન રથના માધ્યમથી મતદારોને માહિતીઓ અપાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંન્વયે મતદારોમાં જાગૃતતા ફેલાવવાનાં આશયથી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.જે રથ આજરોજ ભાવનગર ખાતે યોજાયેલ ૧૪ માં આંતરરાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનાં કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓ,યુવાઓને ઇ.વી.એમ.એટલે કે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશિન અને વીવીપેટ નિદર્શન કરવામાં આવ્યું હતું.

મતદારોને ઇ.વી.એમ.અને વીવીપેટનાં ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાનાં હેતુથી LED મોબાઈલ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે ? તે અંગેની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ ઇ.વી.એમ.નાં માધ્યમથી મત કઇ રીતે આપી શકાય ? તે અંગેની જાણકારી યુવાઓ,વિધાર્થીઓને આપવામાં આવી હતી.આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે વિડીયોનાં માધ્યમો થકી સમજાવવામાં આવી હતી.

મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ,તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશીન ક્યાં આવશે ?, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો ? જેવી માહિતીઓનું લાઇવ નિદર્શન કરાવાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *