bhavnagarEducationGujarat

ભાવનગર ખાતે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની સાથે સાથે ઈ.વી.એમ-વીવીપેટ નિદર્શન રથના માધ્યમથી મતદારોને માહિતીઓ અપાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંન્વયે મતદારોમાં જાગૃતતા ફેલાવવાનાં આશયથી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.જે રથ આજરોજ ભાવનગર ખાતે યોજાયેલ ૧૪ માં આંતરરાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનાં કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓ,યુવાઓને ઇ.વી.એમ.એટલે કે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશિન અને વીવીપેટ નિદર્શન કરવામાં આવ્યું હતું.

મતદારોને ઇ.વી.એમ.અને વીવીપેટનાં ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાનાં હેતુથી LED મોબાઈલ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે ? તે અંગેની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ ઇ.વી.એમ.નાં માધ્યમથી મત કઇ રીતે આપી શકાય ? તે અંગેની જાણકારી યુવાઓ,વિધાર્થીઓને આપવામાં આવી હતી.આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે વિડીયોનાં માધ્યમો થકી સમજાવવામાં આવી હતી.

મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ,તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશીન ક્યાં આવશે ?, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો ? જેવી માહિતીઓનું લાઇવ નિદર્શન કરાવાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *