bhavnagarEducationGujarat

ભાવનગર ખાતે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની સાથે સાથે ઈ.વી.એમ-વીવીપેટ નિદર્શન રથના માધ્યમથી મતદારોને માહિતીઓ અપાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંન્વયે મતદારોમાં જાગૃતતા ફેલાવવાનાં આશયથી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.જે રથ આજરોજ ભાવનગર ખાતે યોજાયેલ ૧૪ માં આંતરરાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનાં કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓ,યુવાઓને ઇ.વી.એમ.એટલે કે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશિન અને વીવીપેટ નિદર્શન કરવામાં આવ્યું હતું.

મતદારોને ઇ.વી.એમ.અને વીવીપેટનાં ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાનાં હેતુથી LED મોબાઈલ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે ? તે અંગેની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ ઇ.વી.એમ.નાં માધ્યમથી મત કઇ રીતે આપી શકાય ? તે અંગેની જાણકારી યુવાઓ,વિધાર્થીઓને આપવામાં આવી હતી.આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે વિડીયોનાં માધ્યમો થકી સમજાવવામાં આવી હતી.

મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ,તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશીન ક્યાં આવશે ?, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો ? જેવી માહિતીઓનું લાઇવ નિદર્શન કરાવાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 50

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *