bhavnagarBreaking NewsEducationGujaratHelth

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તા. ૦૧/૦૮/૨૦૨૪ થી લઇ આગામી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી ઉજવણી થનાર છે.

ભાવનગર જિલ્લા પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પણ “બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવા જઇ રહ્યું છે. જિલ્લા પંચાયત હેઠળની ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં તા. ૦૧/૦૮/૨૦૨૪ થી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવામાં આવશે.

સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ. માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપુર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા, ઝાડા જેવી બિમારીઓથી બચાવે છે. તેમજ બાળકને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરુપ બને છે. આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરુપે નવજાત શિશુની ઘરે મુલાકાત દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન વિશેનું મહત્વ, કેટલા સમય સુધી રીતે સ્તનપાન કરાવવું તે વિશે જાગૃત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 389

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *