bhavnagarBreaking NewsEducationGujaratHelth

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તા. ૦૧/૦૮/૨૦૨૪ થી લઇ આગામી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી ઉજવણી થનાર છે.

ભાવનગર જિલ્લા પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પણ “બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવા જઇ રહ્યું છે. જિલ્લા પંચાયત હેઠળની ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં તા. ૦૧/૦૮/૨૦૨૪ થી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવામાં આવશે.

સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ. માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપુર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા, ઝાડા જેવી બિમારીઓથી બચાવે છે. તેમજ બાળકને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરુપ બને છે. આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરુપે નવજાત શિશુની ઘરે મુલાકાત દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન વિશેનું મહત્વ, કેટલા સમય સુધી રીતે સ્તનપાન કરાવવું તે વિશે જાગૃત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *