bhavnagarBreaking NewsEducationGujaratHelth

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તા. ૦૧/૦૮/૨૦૨૪ થી લઇ આગામી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી ઉજવણી થનાર છે.

ભાવનગર જિલ્લા પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પણ “બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવા જઇ રહ્યું છે. જિલ્લા પંચાયત હેઠળની ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં તા. ૦૧/૦૮/૨૦૨૪ થી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવામાં આવશે.

સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ. માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપુર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા, ઝાડા જેવી બિમારીઓથી બચાવે છે. તેમજ બાળકને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરુપ બને છે. આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરુપે નવજાત શિશુની ઘરે મુલાકાત દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન વિશેનું મહત્વ, કેટલા સમય સુધી રીતે સ્તનપાન કરાવવું તે વિશે જાગૃત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 102

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *