bhavnagarBreaking NewsGujarat

ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે શાળાના શિક્ષકો માટે ગુજરાત રાજ્યમા પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પાંચ દિવસની તાલીમ વર્કશોપ નું આયોજન

વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે,રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત,શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસની તાલીમ/વર્કશોપ નું આયોજન તા. 8-12 જાન્યુઆરી,2024 દરમિયાન કરવામાં આવેલ છે.

આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે.આ કાર્યોમાં શિક્ષણ,તર્ક,સમસ્યાનું નિરાકરણ,ધારણા,ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતો નો સમાવેશ થાય છે.AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે.આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (AI) માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની,શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતેનો આ વર્કશોપ એ સમગ્ર ગુજરાત રાજ્યમા પ્રથમ આવો થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યના પસંદગી પામેલ 100 શિક્ષકો ભાગ લેશે.આ પાંચ દિવસીય વર્કશોપ દરમિયાન C-DAC પુણે,C-DAC હૈદરાબાદ,INTEL જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો આવશે અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમા કેવી રીતે મદદરૂપ થઈ શકે,વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમા અને કારકિર્દી ઘડતરમા કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે,સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે.તદુપરાંત આવનારા સમય માં આરએસસી ભાવનગર વિદ્યાર્થીઓ માટે પણ AI વર્કશોપનું આયોજન કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *