bhavnagarBreaking NewsGujarat

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે હાઇસ્કૂલ ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ 2023’નો પ્રારંભ વિશાળ જનમેદની ની હાજરીમાં કરવામાં આવ્યો.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના માંગદર્શન હેઠળ તા.૨૪ અને ૨૫ નવેમ્બર ના રોજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું આયોજન થયું છે.જેના ભાગરુપે ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ મહોત્સવનુત્ર આયોજન થયું છે.મોહત્સવ અંતર્ગત વાળુકડ હાઈસ્કૂલ ખાતે કૃષિ મહોત્સવનો આજે પ્રારંભ થયો હતો
આ કાર્યક્રમમાં શ્રી અન્ન તથા પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.સાથોસાથ આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના જીવંત પ્રસારણ નો લાભ પ્રાંગણમાં ઉપસ્થિત રહેલ ખેડૂતોએ પ્રાપ્ત કર્યો હતો.જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ આત્મા ફાર્મર એવોર્ડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અહી વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક ઉદ્દબોધન ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ સરવૈયા દ્વારા આપવામાં આવ્યું હતું.તેમણે આગામી સમયમાં આગામી પેઢી ના નિરોગી આરોગ્ય ખાતર પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું.

આગામી પેઢીના નિરોગી આરોગ્ય માટે પાકૃતિક ખેતી મહત્વપૂર્ણ : ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી એચ.એમ. ઝણકાટ,આગેવાનશ્રી દિગ્વિજય ગોહિલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ તેમજ ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોને સુરાપુરા ધામના ભુવાજી દાનભા બાપુ એ ત્રણે પ્રમુખોને આશિવૉદ આપ્યા

ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ વલભીપુર શહેર પ્રમુખ નામદેવ સિંહ પરમાર…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા માં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ યાત્રામાં જૈનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ…

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *