bhavnagarBreaking NewsGujarat

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે હાઇસ્કૂલ ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ 2023’નો પ્રારંભ વિશાળ જનમેદની ની હાજરીમાં કરવામાં આવ્યો.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના માંગદર્શન હેઠળ તા.૨૪ અને ૨૫ નવેમ્બર ના રોજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું આયોજન થયું છે.જેના ભાગરુપે ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ મહોત્સવનુત્ર આયોજન થયું છે.મોહત્સવ અંતર્ગત વાળુકડ હાઈસ્કૂલ ખાતે કૃષિ મહોત્સવનો આજે પ્રારંભ થયો હતો
આ કાર્યક્રમમાં શ્રી અન્ન તથા પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.સાથોસાથ આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના જીવંત પ્રસારણ નો લાભ પ્રાંગણમાં ઉપસ્થિત રહેલ ખેડૂતોએ પ્રાપ્ત કર્યો હતો.જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ આત્મા ફાર્મર એવોર્ડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અહી વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક ઉદ્દબોધન ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ સરવૈયા દ્વારા આપવામાં આવ્યું હતું.તેમણે આગામી સમયમાં આગામી પેઢી ના નિરોગી આરોગ્ય ખાતર પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું.

આગામી પેઢીના નિરોગી આરોગ્ય માટે પાકૃતિક ખેતી મહત્વપૂર્ણ : ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી એચ.એમ. ઝણકાટ,આગેવાનશ્રી દિગ્વિજય ગોહિલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ તેમજ ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *