bhavnagarBreaking NewsGujarat

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગારિયાધારના સુરનગર ગામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું.સાથે યોજનાઓ નો બહોળી સંખ્યામાં લાભ લીધો.

ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું હતું.વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી.વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.

આ તકે ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા એ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને લાયક લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથનો આશય છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપીને તેમનુ જીવનસ્તર સુધારવાનો છે.

મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય લાભો થકી જીવનમાં આવેલા બદલાવ અંગે લાભાર્થીઓએ પોતે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.વધુમાં કાર્યક્રમ સ્થળે લાગેલા બેનરો,પોસ્ટરોના માધ્યમથી પણ ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી વાકેફ થયા હતા.

કાર્યક્રમ ભાવનગર ડિસ્ટીકટ બેંકના ચેરમેનશ્રી કેશુભાઈ નાકરાણી,મામલતદાર શ્રી રમેશભાઈ કુંભાણી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,ચીફ ઓફિસર શ્રી, જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ,લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોને સુરાપુરા ધામના ભુવાજી દાનભા બાપુ એ ત્રણે પ્રમુખોને આશિવૉદ આપ્યા

ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ વલભીપુર શહેર પ્રમુખ નામદેવ સિંહ પરમાર…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા માં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ યાત્રામાં જૈનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ…

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *