Crime

અરવલ્લીઃસાઠંબાની સગીરાનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ થયુંઃસગીરાના પિતાએ સાઠંબા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ…

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથકે સાઠંબા ગામના પ્રાથમિક શાળા વિસ્તારમાં રહેતી એક સગીરાનું લગ્ન કરવાના બદઈરાદે અપહરણ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબામાં રહી છુટક વેપાર કરી ગુજરાન ચલાવતા પરિવારમાં પાંચ સંતાન ધરાવતા સગીરાના પિતાને તારીખ 8′ ફેબ્રુઆરીએ સગીરા બપોરે બાર વાગે બજારમાં જવાનું કહી ઘરે પરત નહીં ફરી હોવાનું તેની પત્નીએ જણાવતાં ચિંતાતુર સગીરાના પિતાએ સગીરાની બજારમાં શોધખોળ કરતાં સગીરા મળી ના આવતાં પાંચ સંતાનોના પિતા એવા સગીરાના વાલી ભાંગી પડ્યા હતા. તે દરમિયાન બજારમાં સાઠંબાના ભાથીજીની મુવાડી વિસ્તારમાં રહેતા અને રસોડાનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ઉદાજી પગી મળેલ તેમને સગીરાના પિતાએ સગીરા વિશે પુછતા તેમણે જણાવેલ કે, તમારી દીકરીને અમે બપોરે કેસરપુરા ગામના કીર્તનભાઈ ભલાભાઈ પરમારના બાઇક પર બેસીને જતા જોઈ હતી. જેથી સગીરાના પિતાએ પોતાના મિત્રો સહિત કેસરપુરા ગામે તપાસ કરતા કેસરપુરા ગામે સદર શખ્સ પણ ફરાર હતો. જેથી સગીરાના પિતાને પોતાની પુત્રીનું બદકામ કરવાના ઈરાદે અપહરણ થયાની શંકા પાકી થતાં સાઠંબા પોલીસ મથકે રહે. કેસરપુરા તાલુકો બાયડના કીર્તનભાઈ ભલાભાઈ પરમાર સામે 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *