bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૪૩,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૪/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બડેલી ગામની સીમ વિસ્તારમાં આવેલ વજુભા ઉકુભા ગોહિલની વાડીની બાજુમાં આવેલ વેણકામાં ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની મળેલ માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાં વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.


પકડાયેલ આરોપીઓઃ-
1. ભાવેશભાઇ ભગુભાઇ કામળીયા ઉ.વ.૩૨ રહે.વડાળ તા.પાલીતાણા જી.ભાવનગર
2. મનસુખભાઇ રસીકભાઇ ધાપા ઉ.વ.૩૨ રહે.હિતેશભાઇ ધાપાના મકાનમાં,ટોપ થ્રી સિનેમા સામે, મીરાનગર, ભાવનગર મુળ-લોંગીયા તા.મહુવા જી.ભાવનગર
3. આશિફભાઇ મહંમદભાઇ પઠાણ ઉ.વ.૩૬ રહે.ખાટસુરા તા.મહુવા જી.ભાવનગર
4. વજુભા ઉકુભા ગોહિલ ઉ.વ.૪૭ રહે.બડેલી તા.પાલીતાણા જી.ભાવનગર

તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રોકડ રૂ.૪૩,૭૦૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા,ફાલ્ગુનસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાણપરાડા ગામે પિતાએ પુત્રની હત્યા કરી સ્મશાન મા અંતિમવિધિ પણ કરી નાખી, પોલીસે પિતા અને કાકા બંનેને ઝડપી લીધા

પાલીતાણા તાલુકાના રાણપરડા ના ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ…

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા માં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ યાત્રામાં જૈનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ…

1 of 399

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *