bhavnagarBreaking NewsCrimeGujarat

મહુવાના નેસવડ ગામ ખાતેથી ભીમ અગીયારસ ના એક દિવસ પહેલા હારજીતનો જુગાર રમતાં શકુનીઓ ઝડપાયા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૧૬/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કોન્સ.તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,નેસવડ ગામે રમેશભાઇ ભીલના મકાન પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. વલ્લભભાઇ ખોડાભાઇ શિયાળ ઉ.વ.૬૨ રહે. ખાડ વિસ્તાર, નેસવડ,તા.મહુવા જી.ભાવનગર
2. ભરતભાઇ વિસાભાઇ ડાંગર ઉ.વ.૩૮ રહે.તાવેડા, તા.મહુવા જી.ભાવનગર
3. સાગરભાઇ મનુભાઇ શિયાળ ઉ.વ.૩૦ રહે.નવા ઝાપા, મહુવા જી.ભાવનગર
4. મુકેશભાઇ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૬ રહે.નવા ઝાપા, મહુવા જી.ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૦,૭૦૦/- મળી કુલ કિં.રૂ.૨૦,૭૦૦/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના ભદ્દેશભાઇ પંડયા,અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 429

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *