bhavnagarBreaking NewsCrimeGujarat

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રીક્ષા ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અનવરભાઇ ઉર્ફે અનુ અલ્લારખાભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.સીદસર-શામપરા રોડ,સીતારામ ચોક,૨૫ વારીયા,રૂમ નં.૧૬૪,તા/જી.ભાવનગર,હાલ-મેઘપર ગામ,જી.જામનગરવાળો ભાવનગર શહેરમાં કુમુંદવાડીના નાકે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપી અનવરભાઇ ઉર્ફે અનુ અલ્લારખાભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો.મજુરી રહે.સીદસર-શામપરા રોડ,સીતારામ ચોક,પચ્ચીસ વારીયા,રૂમ નં.૧૬૪,તા/જી.ભાવનગર,હાલ-મેઘપર ગામ,જી.જામનગર
કરેલ ગુન્હો ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩૦૦૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.-૩૭૯,૪૬૫,૪૬૬,૪૭૧,૧૧૪, મુજબ.
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ગોહીલ,જયદીપસિંહ ગોહીલ,હરિચંન્દ્રસિંહ ગોહીલ,રામભાઇ પંડ્યા,દેવેન્દ્રસિંહ વાળા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 412

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *