bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.

તા.૨૨/૦૪/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર શૈલેષભાઇ ધનજીભાઇ મકવાણા હાલ ભાવનગર-રાજકોટ હાઇ-વે ખોડીયાર મંદિર પાસે હાજર છે. જે હકિકત આધારે તપાસ કરતા નીચે જણાવેલ કાચા કામના આરોપી હાજર મળી આવતા તેની પુછપરછ કરતા પોતે ગુજરાત હાઇકોર્ટ માંથી પોતાની દિકરીની દવા માટે દિન-૦૭ ની વચગાળાની રજા મંજુર થયેલ અને રજા મંજુર થયા બાદ પરત ભાવનગર જિલ્લા જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હોવાનું જણાવેલ. જેથી તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.

કાચા કામના કેદીઃ-શૈલેષભાઇ ધનજીભાઇ મકવાણા ઉ.વ.૩૬ રહે.રૂમ નં.૨૫૫, ૨૫ વારીયા, આવાસ યોજના પાછળ, ફુલસર, ભાવનગર

ગુનાહિત ઇતિહાસ:-
1. બોરતળાવ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૮૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમઃ-૩૩૨, ૪૦૩, ૧૧૪ મુજબ
3. બોરતળાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૨૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમઃ-૩૨૩,૩૨૪, ૩૨૫,૩૬૫,૩૪૨,૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ મુજબ
4. બોરતળાવ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૮૮૩/૨૦૧૯ ઇ.પી.કો.કલમઃ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમઃ- ૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ કલમઃ-૩(૨) ૫એ, તથા ૩(૧) આર,એસ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ, તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હરિચન્દ્રસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અક્ષરવાડી મંદિરનાં 19માં પાટોત્સવ નિમિતે શ્રી સ્વામિનારાયણ ચરિતમ સપ્તાહનું વિશિષ્ટ આયોજન……

ભાવનગર શહેર અને જિલ્લાનું એક અનેરું નઝરાણું અને આધ્યાત્મિક શાંતિનું સ્થાન કહી…

સમીના ગોચનાદ ખાતે બોગસ ડૉક્ટર ઝડપાયો..મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો તબીબ

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ એસઓજી પોલીસે સમી તાલુકાના ગોચનાદ ગામમાં બોગસ તબીબ સામે…

1 of 404

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *