bhavnagarBreaking NewsCrimeGujarat

બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપી બીપીનભાઇ ધનસીંગભાઇ ચૌધરી રહે.નહેર ફળીયું,રાણાવેરી તા.વાલોડ જી.તાપીવાળો લોંગીયા ગામના બસ સ્ટેન્ડમા ઉભેલ છે.જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ આવતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.આ અંગે તાપી જીલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-બીપીનભાઇ ધનસીંગભાઇ ચૌધરી ઉ.વ.૪૨ ધંધો.વોચમેન રહે.પાથરડા ગામ,ડુંગરી ફળીયુ તા.સોનગઢ જી.તાપી હાલ રહે.રાણાવેરી નહેર ફળીયુ તા.વાલોડ જી.તાપી

આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-
તાપી જીલ્લો,વાલોડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૭૨૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ- ૩૭૬(૨), (એફ),૩૭૬ (૨),(જે), ૩૭૬(૨) (એન),૩૭૬(૩), તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમ ૪,૫(જે),(૨), ૫(એલ), ૫(એન),૬ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *