bhavnagarBreaking NewsGujaratOther

ભાવનગર જિલ્લાના બપાડા ગામના ખેડૂત શ્રી હરદેવસિંહ ગોહિલ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ.ખારેકની ખેતી થકી મબલક આવક મેળવી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના એક ખેડૂત સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ખેતરની બહાર જ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો.ત્યાં જ તેમનું વેચાણ થકી કમાણી કરી રહ્યા છે.

બપાડા ગામના ખેડૂત શ્રી હરદેવસિંહ ગોહિલે સાત વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ એક થી દોઢ લાખની આવક મેળવે છે.

આ ઉપરાંત સાત વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો ખારેક,સતરા,મોસંબીનું ઉત્પાદન મેળવે છે.

ગાય આધારિત ખેતીમાં તેમની પાસે ત્રીસ જેટલી ગીર ગાય છે અને ગાયનું છાણ,ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.તેમનું ઉત્પાદન થયેલો પાક બજારમાં લઈ જવાની જરૂર પડતી નથી.તેમના ખેતર ની બાર સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 392

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *