Devotional

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે.

અંબાજી મંદિરમાં નેતાઓ,બોલીવુડ સેલીબ્રીટી સહીત ઘણાય ભક્તો દર્શન કરવા આવે છે,જયારે ઘણા ભક્તો પોતાના સંતાનોની બાબરી ઉતરાવવા માટે પણ આવતા હોય છે.ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઉતરે છે. બોલીવુડ ની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંઘ )પણ પોતાના પતિ હર્ષ લીમ્બાચીયા અને દિકરા લક્ષસિંહ સાથે શનિવારે સવારે અંબાજી આવ્યા હતા જ્યા તેમને માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતરાવી હતી.

અંબાજીના માન સરોવર ખાતે બોલીવુડની જાણીતી કોમેડી કલાકારે પોતાના સંતાનની બાબરી ઉતરાવી હતી. અંબાજી ખાતે બાબરી ઉતરાવીને તેઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોચ્યાં હતાં અને અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી અને અંબાજી મંદિરમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.ભારતી સિંગ ના પતિ હર્ષ લીંબાચીયાની બાબરી પણ અંબાજી ખાતે ઉતરી હતી. હર્ષ અને ભારતી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે. અંબાજી ખાતે નાના બાળકો સાથે હર્ષ અને ભારતીએ ખુબજ પ્રેમ થી વાતચીત કરી હતી.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *