Devotional

શક્તિપીઠ અંબાજી નજીક જન્માષ્ટમી અને શ્રાવણી સોમવારનો અદભુત સંગમ કોટેશ્વર ખાતે બરફના અમરનાથ બનાવ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે.

અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર શિવ મંદિર આવેલ છે. અહીથી પ્રાચીન સરસ્વતી નદી નીકળે છે. આજે શ્રાવણી સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોઈ કોટેશ્વર ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા અને આજે મેળાનું આયોજન આદિવાસી સમાજ અને કોટેશ્વર ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી નજીક કોટેશ્વર શિવ મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન આવેલ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના આ મંદિર ખાતે શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને શિવભક્તિ કરે છે અને શિવજીને બીલીપત્ર દૂધ અને પ્રસાદ નો ભોગ પણ ધરાવતા હોય છે

ત્યારે શ્રાવણના સોમવાર ખાતે આજે કોટેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. કોટેશ્વર મહાદેવ ખાતે મારવાડી શ્રાવણ કરતા ગુજરાતી શ્રાવણમાં વધુ ભક્તો દર્શન કરવા આવતા હોય છે,

ત્યારે આજે અહીં મેળાનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરને સુંદર રંગબેરંગી ફૂલો અને લાઇટિંગ થી શણગારવામાં આવ્યું હતું. કોટેશ્વર ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો બમ બોલે બમ બોલે નો નાદ કરતાં પણ જોવા મળ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *