Devotional

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

“માનસ મેઘાણી” સપ્તમ દિવસની રામકથા શિવ વિવાહથી સંપન્ન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )
બગસરા એટલે મેઘાણીની કર્મભૂમિ અને એક રીતે તેમની તપોભૂમિ પણ ગણી શકાય તેના આંગણામાં ગવાઇ રહેલી” માનસ મેઘાણી” રામકથામાં આજે સાહિત્યકારો,પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

અને મોટી સંખ્યામાં આસપાસના ભાવિકો પણ ઉમટી પડ્યા હતા
આજના કથાના પ્રારંભમાં વિવિધ પુસ્તકોનું લોકાર્પણ થયું હતું જેમાં બહાદુરભાઈ વાળાની રચના કલબલિયા,ડો વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ” અલખના આરાધક” ડો.સંજય દવેના પુસ્તક લોક સંવેદના સર્જક મેઘાણી તથા નીતિન વડગામા સંપાદિત રામકથા માનસ સંવાદનું રુપ નિદર્શન થયું હતું.

પૂ.મોરારિબાપુએ ‘માનસ મેઘાણી’ના સંવાદમાં પ્રવેશ કરતા કહ્યું કે પાંચ વસ્તુ એ મારી પાસે છે તેમાં પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચન. મેઘાણી એક શબ્દથી આખું આકાશ પોતાની બાથમાં લઈ લે છે. મેઘાણીનો શબ્દ સ્પર્શ કરે છે. તેમાં કોઈ જાતિ વિકાર પણ નથી. મેઘાણી આપણી મોંઘી ઝવેરાત છે.

આજે કથાના ક્રમમાં બાપુએ સતીના પુર્નજન્મ પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે સતીનું અવતરણ અને પછી શિવ વિવાહનો પ્રસંગ ખૂબ ભાવુક રીતે પ્રસ્તુત કરીને સૌને કરુણા સભર કર્યા હતા.
આજે કથામાં અભેસિંગ, રાઠોડ ચલાલાના મહંત પૂ.મહાવીર બાપુ સતાધારના પૂ. મહંત વિજય બાપુ તથા મેઘાણીભાઈના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *