Devotional

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)

અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી માનવામાં આવે છે. જેમાં રતન ટાટા અને રાહુલ બજાજ જેવા ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યાંના મેમોરીયલ હોલમાં પૂ. મોરારિબાપુના શ્રી મુખેથી રામચરિત માનસનું ગાન આરંભાયું છે.

એવું પણ કહી શકાય કે યુનાઇટેડ નેશન્સ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં કથા ગાન થઈ ગયા પછી પુનઃ એકવાર એક નવા કિર્તીદાન સાથે હાર્વર્ડમાં રામ નામની ગુંજ સંભળાઈ રહી છે. તે ઐતિહાસિક છે પૂ. મોરારિબાપુએ તેને ઐતિહાસિક નહીં પરંતુ અધ્યાત્મિક કથા તરીકે પ્રસ્તુત કરી.

ભારતના પ્રમાણ સમય કરતા 9:30 કલાક પાછળ ચાલતો તેનો સમય ગતરોજ રાત્રિના 1:30 કલાકે અને બોસ્ટનના સાંજના 4-00 કલાકે આ કથાનો મંગલ પ્રારંભ થયો. કથાનું નામાભિધાન આ અગાઉની નૈરોબી કથામાં કરી દેવાયું હતું. જે અનુસંધાને તેનો નામકરણ “માનસ ગુરુ પ્રસાદ” કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રીરામનું વાંગમય સ્વરૂપ એટલે રામચરિત માનસ અને તેના સર્જક એવા તુલસીદાસજી મહારાજની જન્મ જયંતિ દર વર્ષે શ્રાવણ સુદ સાતમના રોજ મનાવવામાં આવે છે. તલગાજરડાના માધ્યમથી આ ઉત્સવ છેલ્લાં 17 વર્ષથી ચાલી રહ્યો છે.સને 2010 થી 2024 સુધી તેનુ સ્થાન તલગાજરડાની પાવન ભૂમી રહી છે.

સને 2025 માં આ ઉત્સવ ઉત્તર પ્રદેશના રાજાપુર ખાતે યોજવામાં આવ્યો. હવે આજે તે વિદેશની ધરતી ઉપર મનાવાઈ રહ્યો છે,તે એક જોગાનુંજોગ ઘટના છે.

બાપુએ આ કથા ઉત્સવને ભગવાન શ્રીરામના પુણ્ય યોગનો પ્રતાપ ગણાવીને તેનું શ્રેય કથા મનોરથી એવા લંડનના લોડૅ શ્રી ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટને શીરૂ જાય છે.

બાપુએ તેઓએ કરેલા હાર્ડવર્ક માટે સુભાષિશ આપીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. ગુજરાત અને ભારતના સંતો મહંતો અને વિદ્વાનો આ મહોત્સવમાં સંમેલિત થયા છે. ગઈકાલે દીપ પ્રજવલનમાં ઓમકારેશ્વર મના પૂ.મુરલી બાબા ભાગવત કથાકાર પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.આ કથા અને ઉત્સવ 23 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *