Devotional

સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે કરાયું સન્માન

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી ૧૨૦૦ જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.

વહેલી સવાર થી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટર મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું.

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *