Education

ગોધરા તાલુકાની હરિજાંબા પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

એબીએનએસ, વી.આર. પંચમહાલ: ગોધરા તાલુકાના હરિજાંબા પ્રાથમિક શાળા ખાતે આ ચાલુ વર્ષના ધોરણ 8 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એસ.એમ.સી અધ્યક્ષ સ્મિતેશભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેક કાપી નવી શૈ.સફર માટે આશીર્વાદ સાથે વિદાયપત્ર, પુસ્તક અને શૈ.કીટ આપવામાં આવી.શાળાને ધોરણ આઠના વર્ગશિક્ષક દક્ષેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓએ શાળાને ઉપયોગી માઇક સેટ સ્ટેન્ડ ભેટ આપી હતી. ધોરણ 8 ના વિદ્યાર્થિઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આચાર્ય દિનેશભાઈ પરમાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

શાળા પરિવારના તમામ શિક્ષકમિત્રો.હિનાબેન,મીનાબેન, કપિલાબેન બીપીનભાઈ, સવિતાબેન, અપેક્ષાબેન, તુષારભાઇ દ્વારા તેમની આગળની શૈક્ષણિક સફર માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંતે વિદાય ગીત સાથે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી કાર્યક્રમ સમાપન થયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 12

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *