Latest

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.

બેઠકના અધ્યક્ષ ડૉ.કુબેરભાઈ ડિંડોરની અનુમતિથી જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ અને જિલ્લા આયોજન અધિકારી દ્વારા બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા), પ% પ્રોત્સાહક જોગવાઈ અને બક્ષીપંચ જોગવાઇના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજુ થયેલ આયોજન વંચાણે લઈ રજુ થયેલ અંદાજીત કુલ રૂ.૧૦૫૧.૩૧ લાખના કુલ ૬૯૪ વિકાસ કામો સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇઓ અને એટીવીટી જોગવાઈના વર્ષ ૨૦૨૨-૨૦૨૩, વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અને વર્ષ ર૦૨૪-૨૦૨૫ના તેમજ MPLADs અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં શરૂ ન થયેલ તથા પ્રગતિ હેઠળના તમામ કામોની સબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ ના કામોને તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નીયત સમયમર્યાદામાં કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ બેઠકની શરૂઆત જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા બેઠકના અધ્યક્ષ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરનું સ્વાગત કરી બેઠકમાં ઉપસ્થિત જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત તમામ ઉપસ્થિત પદાધિકારી અને અધિકારીઓને આવકારીને કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, સામાન્ય વહીવટી વિભાગના નિરીક્ષક, જિલ્લા આયોજન અધિકારી, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી,નિમિષાબેન સુથાર,જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા ચીફ ઓફિસર સર્વ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આયોજન મંડળના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *