Education

ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના પરિણામના આધારે રાજ્યના 45,816 વિદ્યાર્થીઓને રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ તથા સ્કોલરશીપ સહાયની ફાળવણી કરવામાં આવી છે.

“વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું” : – પ્રફુલ પાનશેરીયા

▪ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: 30,000 જગ્યાઓ
▪ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ: 9,475 જગ્યાઓ
▪ સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ: 3,221 જગ્યાઓ
▪એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ: 2,427 જગ્યાઓ
▪રક્ષા શક્તિ સ્કૂલ્સ: 693 જગ્યાઓ

આમ, શિક્ષણ વર્ષ 2025-26 માટે કુલ 45,816 વિદ્યાર્થીઓને ન્યાયસંગત અને પારદર્શક પદ્ધતિથી રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ કે સ્કોલરશીપ સહાય ફાળવવામાં આવી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023-24થી દર વર્ષે ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે CET નું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025-26 માટે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાયા હતા.

કમિશ્નર શાળાઓની કચેરી અને સમગ્ર શિક્ષા દ્વારા વિકસાવવામાં આવેલ કોમન પોર્ટલ દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક મેરીટ આધારિત રાખવામાં આવી છે.

આ યોજનાઓ વિદ્યાથીઓને માત્ર અભ્યાસની તક જ નહીં આપે, પરંતુ જીવનમાં આગળ વધવા માટે પણ એક મજબૂત પાયો પુરો પાડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત…

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *