પુસ્તકના લોકાર્પણ પ્રસંગે જે કે મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જિયા પરમાર, સુરતના પ્રખ્યાત કવિ શ્રી સંદીપ પુજારા, ગાયક અને સ્વરકાર શ્રી નમ્રતાબેન શોધન અને સંગીત રસિક શ્રી અજયભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યાં. આ સાથે અમદાવાદના રંગમંચના, ફિલ્મના, સંગીતના ઘણાં કલાકારો, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર ઉપસ્થિત રહ્યાં અને પુસ્તકને વધાવ્યું. કાર્યક્રમનું સંચાલન રીમા શાહ અને કૌશલ પીઠડીયા એ સાથે મળીને કર્યું. પ્રેમના પુષ્પોની સુંગધથી વાતાવરણ મહેકી ગયું.
આભાર ભૂમિકા બેન વિરાણી અમને આમંત્રણ આપવાનો માટે. આ સુંદર પ્રસંગે TAFF (ટ્રાવેલ, આર્ટ, ફેશન એન્ડ ફૂડ) જૂથના એડમિન તન્મય શેઠ, રાધાસ્વામી હોલિડેઝના માલિક મયુરભાઈ તેમજ ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ સંબંધની વાત કરવામાં આવી છે. પ્રેમ એટલે લગ્ન, મિત્રતા, હક, જવાબદારી, સફળતા, સંતોષ, સ્વપ્રેમથી લઈને ઈશ્વર સાથેના પ્રેમની વાત કરવામાં આવી છે. આ પુસ્તક ઝેડ કેડ પબ્લિકેશન ( મનીષ પટેલ ) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું.