Gujarat

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા નાના ગોપનાથ મંદીર ખાતે ટ્રસ્ટી મંડળ ની સાધારણ સભા મળેલ.જેમાં સ્થાનિક સિવાયનાં બહાર નાં ટ્રસ્ટી નો અલંગ તેમજ મણાર ગામનાં લોકો દ્રારા ઉગ્ર વિરોધ.

આજરોજ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા નાના ગોપનાથ મહાદેવ નાં મંદીર ખાતે ટ્રસ્ટી મંડળ ની સાધારણ સભા મળેલ.જેમાં સ્થાનિક આજુબાજુ ના ગામનાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.આ સભા માં તળાજા તાલુકાના મામલતદાર અને બીજાં ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહ્યા હતા.ગામ લોકો એ ત્યાંના સ્થાનિક ટ્રસ્ટી સીવાય નાં અન્ય બહાર ગામનાં ટ્રસ્ટી ઓ નો વિરોધ કર્યો હતો.

કહેવાય છે કે આ મંદીર ને ભાવનગર મહારાજા શ્રી એ જમીન આપેલ જેનાં તમામ વહીવટ માં ગેરરીતિ થવા ની હોય તેવી આશંકા એ ગ્રામજનો એ વિરોધ કરેલ અને બહાર નાં જે ટ્રસ્ટી ઓ છે તેમને ટ્રસ્ટી મંડળ માંથી બહાર કાઢી નાખવા ની માંગ કરેલ.

આ નાના ગોપનાથ મહાદેવ નાં મંદીર નાં ટ્રસ્ટી મંડળ પાસે રાજાશાહી વખત ની અંદાજે 250 વીઘા જમીન આવેલ.તેમાં અલગ અલગ પ્લોટો અને દુકાનો આવેલ જેનાં મોટી સંખ્યામાં ભાડા અને નાણાં વસુલતા હોવાનુ ગ્રામજનો દ્વારા મામલતદાર ને જણાવ્યું હતું. અને નવાં નિમાયેલા ટ્રસ્ટી ઓ નો વિરોધ કરેલ.

આ ટ્રસ્ટીઓ ત્યાંના સ્થાનિક આજુબાજુ ના ગામનાં નિમવા તેવું ગામ લોકો અને આગેવાનોએ એક સૂર માં જણાવ્યું હતું. જેથી મામલતદાર શ્રી એ આવનાર સાધારણ સભા માં જેનો નિર્ણય કરશું તેમ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 56

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *