Helth

જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા દ્રારા 108 ના કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યું

યુવા હૃદય સમ્રાટ આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમરત્ન સૂરીશુરજી મહારાજ સાહેબ અને વર્તમાન રાહબર રાજ પ્રતિબોધક શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશુરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની 400થી વધુ શાખાઓ તથા 40000 થી વધુ યુવાનોનું સંગઠન ભારતભર અને વિદેશમાં કાર્યરત છે.

તારીખ 20 ઓગસ્ટ 2023 રવિવાર દિવસે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયાની ધ્રાંગધ્રા શાખા દ્વારા માં એક્ટિવિટી અનુસંધાને ઈમરજન્સી સેવામાં સતત કાર્યરત રહેતા એમ્બ્યુલન્સ ૧૦૮ના કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો ધ્રાંગધ્રા સિટીના ઇન્ચાર્જ અને તેની સમગ્ર ટીમ કે જેઓ દિવસ રાત જોયા વગર સતત ૨૪/૭ લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે,

તેમને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાનું સન્માન સર્ટિફિકેટ આપીને મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા ના પ્રમુખ વિશાલભાઈ શાહ તથા એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા ના અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય…

રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ અને આરોગ્યમંત્રી…

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન કેમ્પ યોજી 348 બોટલ રક્ત એકત્ર કરતું જામનગર પોલીસ વિભાગ

જામનગર તા ૨૮, જામનગર પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *